મોરબી દુર્ઘટના કેસ: સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ ફગાવી
- 2 years ago
મોરબી ઝૂલતા પુલ અકસ્માતની તપાસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આ અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ મોરબી બ્રિજ અકસ્માતની સ્વતંત્ર તપાસના મામલાની સુનાવણી ચાલુ રાખશે. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ, રાહત, પુનર્વસન અને વળતર પર દેખરેખ રાખવાની સાથે જ સુનાવણી સમયબદ્ધ રીતે થવી જોઈએ. SC એ ન્યાયિક/CBI તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. SCએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ પહેલાથી જ તપાસ પર નજર રાખી રહી છે. હાઈકોર્ટે અરજદારોના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ અને અરજદારો પણ હાઈકોર્ટમાં તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ, રાહત, પુનર્વસન અને વળતર પર દેખરેખ રાખવાની સાથે જ સુનાવણી સમયબદ્ધ રીતે થવી જોઈએ. SC એ ન્યાયિક/CBI તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. SCએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ પહેલાથી જ તપાસ પર નજર રાખી રહી છે. હાઈકોર્ટે અરજદારોના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ અને અરજદારો પણ હાઈકોર્ટમાં તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.