UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

  • 2 years ago
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુજરાતના મોરબી શહેરમાં બ્રિજ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને મૃતકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મોરબીમાં પુલ તૂટી પડવાના દુ:ખદ સમાચારથી મહાસચિવ ખૂબ જ દુઃખી છે."ગુટેરેસે પીડિતોના પરિવારો તેમજ ભારત સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Recommended