નવસારીમાં ત્યજાયેલી નવજાત બાળકીના પગ સહિતના અંગો શ્વાનોએ ફાડી ખાતા સારવાર દરમિયાન મોત

  • 4 years ago
સુરતઃનવસારી જલાલપોરમાં આવેલી કૃષિ યુનિવર્સિટી નજીક ગાંધીની વાડીમાંથી બિનવારસી નવજાત બાળકી મળી આવી હતી તાજી જન્મેલી નવજાત બાળકીને તરછોડી દીધા બાદ શ્વાનોએ ડાબો પગ સહિતના અંગો ફાડી ખાધા હતાં દયનિય હાલતમાં મળી આવેલી નવજાતને સ્થાનિકો અને પોલીસે નવસારી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી NICU વોર્ડમાં નવજાત બાળકીની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જો કે,બાળકીના ડીએનએ લઈને માતા અંગેની તપાસ કરવામાં આવશે

Recommended