મધ્યપ્રદેશના બૈતુલમાં ગમખ્વાર અકસ્માત, 11 લોકોના કમકમાટી ભર્યા મોત

  • 2 years ago
મધ્યપ્રદેશના બેતુલ પરતવાડા રોડ પર બસ અને ટવેરા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. ટવેરામાં સવાર 11 લોકોના મોત થયા હતા. 7ના મૃતદેહને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતા. ટવેરાને કાપીને 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતક મજૂરો હોવાનું જણાય છે. આ ઘટના ઝાલર પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર ગુડગાંવ પાસે બની હતી.