મોરબી હોનારતમાં સત્તાવાર મૃત્યુઆંક થયો જાહેર

  • 2 years ago
રવિવારે સર્જાયેલી મોરબી હોનારતમાં સત્તાવાર રીતે મોતનો આંક જાહેર કરાયો છે, જે 135 હોવાનું સામે આવ્યું છે. અનેક ઈજાગ્રસ્તો મોરબી સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 14મી નવેમ્બરે કરવામાં આવશે. મોરબી દુર્ઘટનામાં ઘટનાસ્થળની અને હોસ્પિટલની મુલાકાત લેશે પીએમ મોદી. આ સમયે તેઓ ઈજાગ્રસ્ત નઈમ શેખને મળશે. મોરબી દુર્ઘટનાને લઈને આવતીકાલે રાજ્યમાં શોકની જાહેરાત કરાઈ છે. આ ઘટનાને પહલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ શોક વ્યક્ત કર્યો છે.

Recommended