અમદાવાદના આઇકોનિક અટલ ફૂટ ઓવર બ્રિજનો સુંદર નજારો

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદી આજે સાંજે 5:30 વાગ્યે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવને સંબોધિત કરશે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના અટલ ફૂટ-ઓવર બ્રિજ (એફઓબી)નું પણ ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન અને વડાપ્રધાનના આગમનને પગલે એટલ ફુટ ઓવર બ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યો છે. આ 300 મીટરનો પુલ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડે છે. આ વોકિંગ બ્રીજ ઉપર કલા અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. આ બ્રિજની ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક બનાવવામાં આવી છે.

Recommended