ભગવાન જગન્નાથ ડાર્ક ચોકલેટના રથમાં થશે બિરાજમાન!

  • 2 years ago
નાથની નગરયાત્રા પૂર્વે જ ભક્તોનો મંદિરમાં ધસારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ ખાતે જમાલપુર ભગવાન જગન્નાથને ભેટ અર્પણ કરવા દર્શનાર્થીઓ મંદિર પહોંચ્યા છે. તેમાં
જગન્નાથના ભક્ત દ્વારા સુંદર ચોકલેટનો રથ બનાવાયો છે. જેમાં 11 કિલો ચોકલેટમાંથી ભગવાનનો રથ બનાવાયો છે. તેમજ શિલ્પાબેન ભટ્ટ દ્વારા આ અનોખો ચોકલેટ રથ બનાવવામાં

આવ્યો છે. તેમાં વાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટમાંથી ચોકલેટ રથ બનાવામાં આવ્યો છે. જેમાં લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 ફૂટ સાથે ચોકલેટ રથ બનાવવામાં આવ્યો છે.

Recommended