શુભ ફળની પ્રાપ્તિ માટે કરીએ ગણેશજીની આરતી

  • 2 years ago
આજનાં દિવસને મંગળકારી બનાવવા આપણે સૌ પ્રથમ કરીશુ ગણપતિ બાપ્પાની આરતી વંદના..ત્યારબાદ તાપી જિલ્લાનાં સોનગઢમાં સ્થાપિત રોકડિયા હનુમાન મંદિરનાં કરીશુ દર્શન...ઉપરાંત ભજનકિર્તનને સંગ ભજીશુ બજરંગબલીનું નામ અને ખાસ વાતમાં આજે પ્રભુની કૃપા માટે મંત્રજાપનાં કયા નિયમો અનુસરવા તે અંગેની શાસ્ત્રીય માહિતી મેળવીએ. તો આવો ત્યારે પરમ શાંતિની પ્રાપ્તિ કરવા આ યાત્રાનો આરંભ કરીએ...
કોઈપણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે..સૌ પ્રથમ તેમનું આહવાહન કરવામાં આવે છે..એનુ એક જ કારણ છે કે આગળ જઈને કોઈપણ પ્રકારનું વિઘ્ન ,સંકટ ,કે મુસીબત આવે તો ગણેશજીના પ્રભાવથી તે સમાપ્ત થઈ જાય..વિઘ્ન નિવારણ કરવાની સાથે ગણેશજીને વિદ્યા ,બુદ્ધિ , વૈભવ ,સમૃદ્ધિ અને શક્તિ અને સન્માન આપનાર પણ ગણવામાં આવે છે.. તો આવો શુભ ફળની પ્રાપ્તિ માટે કરીએ ગણેશજીની આરતીનાં દર્શન..