વડોદરામાં રાજમહેલ રોડ પર AAPના બેનરો પર રીક્ષા ચલાવવામાં આવી

  • 2 years ago
વડોદરામાં રાજમહેલ રોડ ઉપર આમ આદમી પાર્ટીની રેલી પહેલા લોકોએ તોડફોડ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. હિંદુ દેવી દેવતા અંગે આપના મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ વડોદરામાં આપણી રેવ્લી યોજાવા જઈ રહી છે ત્યારે ઉશ્કેરાયેલા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને રેલી જે રસ્તા ઉપરથી નીકળવાની હોય તે રસ્તા ઉપર લાગેલા બેનરો ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત લોકોએ બેનરો ઉતારીને તેના પર રીક્ષા ચલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Recommended