પરિવાર લગ્નમાં ગયો અને બંધ મકાનમાં તસ્કરોએ 12 લાખની ચોરી કરી, ઘીના ડબા-ઘઉં લઇ ગયા

  • 4 years ago
રાજકોટ: લગ્નગાળાની મોસમ ચાલી રહી છે ત્યારે શહેરમાં તસ્કરો સક્રિય બન્યા છે શહેરના પેલેસ રોડ પર આવેલા જયરાજ પ્લોટ સોસાયટી વિસ્તારમાં રહેતા વેણુગોપાલ પરિવાર સાથે લગ્નમાં ગયા હતા અને પાછળથી બંધ મકાનનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો તસ્કરોએ દાગીના, રોકડ રકમ સહિત 12 લાખની ચોરી કરી હતી તસ્કરોએ ઘીના ડબા અને ઘું પણ ચોરી લીધા હતા આ અંગે પોલીસને જાણ થતા દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે

Recommended