સંતરામનગર સોસાયટીમાં રહેતો પરિવાર દીકરીની સારવાર કરાવવા વડોદરા ગયો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

  • 4 years ago
વડોદરાઃપાદરાની સંતરામ નગર સોસાયટીમાં પંચાલ પરિવારના બંધ મકાનને ટાર્ગેટ બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા પાદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છેમકાન માલિક દેવાંગ પંચાલે જણાવ્યું હતું કે, મારી 2 વર્ષની દીકરી છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાના કારણે અમે પતિ-પત્ની દીકરીને લઈને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છીએ, ત્યારે અમારા બંધ મકાનને ટાર્ગેટ બનાવીને તસ્કરો લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા અમારી સામે સાજ જ રહેલા મારા સાઢુએ તેમના સોનાના દાગીના પણ મારા ત્યાં સાચવવા માટે મૂક્યા હતા તે પણ તસ્કરો ચોરી ગયા છે

Recommended