અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશયીઃ મહિલાનું મોત, 5ને બહાર કઢાયા, હજુ 2 દટાયાની આશંકા

  • 5 years ago
અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં આશરે 100 વર્ષ જૂનું મકાન ગુરુવારે બપોરે એકાએક ધરાશયી થયું હતું આ દુર્ઘટનામાં વિમળાબેન નામની મહિલાનું મોત નિપજ્યું છે જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું જેમાં 7 લોકો દટાયા હતા તે પૈકી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હજુ બે વ્યક્તિ કાટમાળમાં ફસાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે