મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા હોબાળો મચાવી પરિવારજનો ધરણા પર બેઠા

  • 5 years ago
સુરતઃમહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તૈયારી દર્શાવી છે હાલ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનો ધરણા પર બેસી ન્યાયની માંગ કરી રહ્યા છે જ્યારે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે