ભારત જોડો યાત્રાઃ રાજઘાટ જશે રાહુલ ગાંધી, નહેરુ-ઈંદિરા-વાજપેયીને આપશે શ્રદ્ધાંજલિ

  • last year
ભારત જોડો યાત્રાના લાલ કિલ્લા પર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ શનિવારે બાપુની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા જવાના હતા, પરંતુ ભીડ વધવાને કારણે પદયાત્રામાં વધુ સમય લાગ્યો હતો, જેથી તેમણે કાર્યક્રમ બદલવો પડ્યો હતો. હવે રાહુલ આજે સવારે શાંતિ વન અને રાજઘાટ સહિત અનેક રાજનેતાઓને શ્રદ્ધાંજલિ આપવા જશે.

Recommended