સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો,આપ-મનપા વચ્ચે થયું ઘર્ષણ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. હાલમાં તમામ નેતાઓ રોડ શો અને જાહેર સભાઓનું આયોજન કરીને પ્રચાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ પથ્થરમારો શરૂ થયો ત્યારે અરવિંદ કેજરીવાલ તેમની કારની અંદર ગયા હતા.