નેત્રંગ સભા પહેલાં PM મોદીએ અનાથ બાળકો સાથે કરી મુલાકાત

  • last year
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. રેલીઓ અને જાહેર સભાઓનો દોર ચાલુ છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં એક જાહેર સભાને સંબોધિત કરી. અહીં તે નિર્ધારિત સમય કરતાં થોડી મિનિટો મોડા પહોંચ્યા હતા. મંચ પર પોતાના સંબોધનમાં તેમણે મોડા આવવાનું કારણ જણાવ્યું. જે જાણીને સૌ તાળીઓ પાડવા લાગ્યા.

Recommended