ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવાર સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ નેતાઓએ પ્રચાર જોરશારથી શરૂ કરી દીધો છે. ઠેર ઠેર સભાઓથી લઈને રેલી દ્વારા નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે પ્રચાર દરમિયાન ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર વિવાદમાં આવ્યા હતા. વડોદરાના ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

Recommended