કેદારનાથમાં તીર્થયાત્રીઓના જીવ સાથે ખેલ : ખરાબ હવામાન છતાં હેલિકોપ્ટરોનું ઉડ્ડયન

  • 2 years ago
કેદારનાથના તીર્થયાત્રીઓના જીવ જોખમમાં મૂકવાનો સિલસિલો હજુ પણ જોવા મળી રહ્યો છે. 18 સપ્ટેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ હેલિકોપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને ગુપ્તકાશી તરફ જઈ રહ્યું હતું. ત્યારબાદ કેદારનાથ ધામથી 2 કિમી દૂર ગરુડચટ્ટી પાસે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ધુમ્મસ અને નબળી વિઝિબિલિટીના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. પહેલા હેલિકોપ્ટર કોઈ જગ્યાએ ટકરાયું અને પછી વિસ્ફોટ થયો. આટલી મોટી દુર્ઘટના બાદ પણ વહીવટી તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી.