ઉત્તરપ્રદેશમાં બે નદીઓનું જળસ્તર વધતા લોકો બોટના સહારે

  • 2 years ago
ઉત્તર પ્રદેશમાં રાપ્તી નદી અને ઘાઘરા નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ગોરખપુરના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બોટનો સહારો પણ લઈ રહ્યા છે.