ટ્રેનમાં સીટ પર પહોંચી જશે વ્રતની થાળી, બસ આ નંબર પર કરો કોલ

  • 2 years ago
આજથી નવરાત્રિ શરૂ થઈ ચૂકી છે ત્યારે અનેક ભક્તો આ સમયે વ્રત રાખતા હોય છે. આ સમયે તેઓ ભોજનમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખતા હોય છે. એવામાં તેમને માટે ટ્રેનની મુસાફરી કરવાનું આવે તો તેમને માટે મુશ્કેલી વધી જાય છે. કેમકે ટ્રેનમાં સાત્વિક ભોજનની વ્યવસ્થા હોતી નથી.. પરંતુ હવે આ વર્ષે રેલ્વે ભક્તો માટે નવરાત્રિ ટ્રેનોમાં વિશેષ ઉપવાસ થાળી આપશે. આ સુવિધા 400 સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે.

Recommended