આરાસુર પર્વત ઉપર સ્થિત પાવન ધામના કરો દર્શન

  • 2 years ago
ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાનાં દાંતા તાલુકામાં છે અરવલ્લીની ગીરીમાળાઓ...જ્યાં આરાસુર પર્વત ઉપર સ્થિત છે દેશનું એક પ્રાચીન મંદિર...જ્યાં બિરાજે છે જગતજનની મા અંબા....આશરે બારસો વર્ષ પ્રાચીન આ ધામ સફેદ આરસપહાણથી બનેલુ છે અને ખુબ જ ભવ્ય છે...માનવામાં આવે છે આ મંદિરનાં જીર્ણોદ્વારનું કાર્ય 1975માં શરુ થયુ હતુ જે આજે પણ ચાલુ જ છે....ભવ્ય મંદિરનાં આસપાસ ચાચરચોકમાં જ્યારે ભક્તો પહોંચે છે ત્યારે થઈ જાય છે માઈભક્તિમાં લીન.