પાટણમાં નવરાત્રિને લઈને બજારોમાં ખરીદીનો ધમધમાટ ચાલુ

  • 2 years ago
પ્રાચીનકાળથી હિન્દુ સંસ્કૃતિમાં શિવ અને શકિતનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે.નવરાત્રિ પર્વમાં સમયના બદલાવની સાથે પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓને લઈ શહેરમાં અનેરો ઉત્સવ જોવા મળી રહયો છે.પહેલાના સમયમાં માત્ર મૈયાના ભાવથી ગરબા તેમજ પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવતી હતી.વર્તમાન સમયમાં આ મહોત્સવે નવા જ રંગરૂપ ધારણ કર્યા છે.આદ્યશકિતના સ્થાનકને સુશોભીત કરવા માટે શહેરની બજારમાં વિવિધ પ્રકારના તોરણો,ઝુમ્મરો,રંગબેરંગી કાગળની પટ્ટીઓ તેમજ ધજાપતાકાની ચીજવસ્તુઓથી બજારનો માહોલ રંગીન જોવા મળી રહ્યો છે.