રાજપીપળામાં વન કર્મીઓ ગ્રેડ પે વધારવા મુદ્દે હડતાલની ચીમકી

  • 2 years ago
નર્મદા જિલ્લા વન કર્મચારીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવારનવાર રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં વનરક્ષક વર્ગ -3ને 2800 ગ્રેડ પે આપવો તેમજ વનપાલને 4200 ગ્રેડ પે આપવા બાબતે અને રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવો, વનરક્ષકની ભરતી અને બઢતી બાબતે તેમજ અન્ય મુદ્દે પણ રજુઆતો કરવામાં આવી હતી, પરંતુ અવાર નવારની રજુઆતો કરવા છતા આજ દીન સુધી એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું નથી.

Recommended