હર્ષ સંઘવીએ મનાવ્યો રક્ષાબંધનનો તહેવાર

  • 2 years ago
ભાઈ બેનના પવિત્ર પ્રેમનો પર્વ રક્ષાબંધન હોય છે. ત્યારે વહેલી સવારથી જ શુભ મૂર્હતમાં બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી છે. ખાસ કરીને કોરોનના વર્ષ બાદ વિદેશમાં રહેતા

ભાઈઓએ પોતાના બહેન પાસે આવીને રાખડી બંધાવી. તો કેટલાક ભાઈઓ અન્ય રાજ્યમાં રહેતા હતા જેથી કોરોના કાળમાં તેઓ રક્ષાબંધનની ઉજવણી કરવા નહોતા આવી શક્યા તે પણ

આવ્યા અને શુભ ચોઘડિયામાં રાખડી બાંધી હતી.

મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી

તેવામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી છે. તથા બહેનોએ મંત્રી નિવાસસ્થાન પહોંચી

રક્ષાબંધન મનાવી છે. તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી છે. તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રક્ષાબંધનની ઉજવણી પ્રસંગે જણાવ્યું છે કે મારી

બહેનોને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. તથા ગ્રેડ પે ને લઈ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે CM દ્વારા આ વિષય પર અનેક બેઠકો બોલાવાઈ છે. અલગ અલગ વિભાગ સાથે

બેઠકો યોજાય છે. આ વિષય પણ સકારાત્મક અને સુખદ અંત આવશે.

ગંદી રાજનીતિ કરનાર લોકો માર્ગમાં આવતા રહેશે

તેમજ હજારો પરિવારોનો લાભ અટકવવાની કોશિશ કરાય છે. આજના દિવસે બહેનોને મળતા લાભને રોકવાનો પ્રયાસ કરાયો છે. જનતા આ વિષયને ખૂબ સારી રીતે જાણે છે. આવા

પ્રકારના વિષયમાં કોઈ રાજનીતિ કરવા નહી માંગતા. તથા ગંદી રાજનીતિ કરનાર લોકો માર્ગમાં આવતા રહેશે.

Recommended