નસવાડીમાં પડતર પ્રશ્નોને લઈને ગ્રામજનોના ધરણાં

  • 2 years ago
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પડતર પ્રશ્નોને લઈને જીતનગરના ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે. ગામના રસ્તાની આસપાસ જંગલ-ઝાડીઓના સફાઈના પ્રશ્ન તેમજ અન્ય સુવિધાના પ્રશ્નોને લઈને પંચાયત આર એન્ડ બી કચેરી આગળ સૂત્રોચ્ચાર કરી ગામ લોકોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતુ. ગ્રામજનોની લેખીત રજૂઆત પર ધ્યાન ન અપાતા આખરે ધરણા કરવા મજબૂર બનેલા ગ્રામજનોએ માગ ન સંતોષાય તો ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

Recommended