ડાકોર રણછોડરાયજી મંદિરમાં કોરોના વાઈરસના ખતરાને લઇને કપૂર, ગુગળ અને લીમડાંના પાંદડાનો ધૂપ

  • 4 years ago
ડાકોરઃદેશના વિવિધ મંદિરોમાં કોરોના વાઈરસના ભયથી ચોકસાઈ અને તકેદારીના પગલાં લેવાયા છે કોક મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કર્યા છે, તો કોઈક મંદિર મેનેજમેન્ટ દ્વારા અન્ય ઉપાયો અજમવાઈ રહ્યા છે જ્યારે ડાકોરના રણછોડરાય મંદિરમાં દર્શનાર્થીઓ અને ભક્તો માટે કોઈ જ પાબંદી મૂકવામાં આવી નથી ડાકોર મંદિર મેનેજમેન્ટ દ્વારા કોરોનાને સંક્રમિત થતો રોકવા કપૂર, ગૂગળ અને લીમડાના પાનના ધુપનો સહારો લેવામાં આવ્યો છે આ પ્રયોગનો લાભ પણ એ રહ્યો કે મંદિર પરિસર અને આસપાસના તમામ વિસ્તારોમાં સુગંધ પ્રસરી રહેતા રાહદારી, વેપારી અને યાત્રાળુઓમાં પ્રફુલ્લિતતાનું વાતાવરણ નિર્માણ થયું છે

Recommended