રાજકોટના લક્ષ્મીનગર અંડર બ્રિજને લઇને 111 ઝુપડાનું ડિમોલિશન

  • 4 years ago
રાજકોટ: ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરાવાને લઇને રાજકોટના લક્ષ્મીનગર નાળાની સમસ્યા વર્ષોથી હતી આથી મનપા દ્વારા લક્ષ્મીનગર નાળાને તોડી પાડી અંડર બ્રિજ બનાવવા માટેની કામગીરીનો પ્રારંભ કર્યો છે લક્ષ્મીનગર નાળા પાસે આવેલી ઝુપડપટ્ટીનું ડિમોલેશનની કામગીરી શરૂ કરાઇ છે આ માટે PGVCL, રેલવે વિભાગ અને રેલવે પોલીસ સહિત શહેરની પોલીસ પણ જોડાઇ છે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકો દ્વારા ઘર્ષણ થાય તેવી શક્યતા પણ સેવાઇ રહી છે