ગૌસેવાથી કેદીઓની આપરાધિક માનસિકતામાં ઘટાડો થાય છે - મોહન ભાગવત

  • 4 years ago
સંઘ પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું કે જેલમાં કેદીઓ દ્વારા ગાયની સેવા કરવામાં આવે તો તેમની અપરાધિક માનસિકતામાં ઘટાડો આવે છે આ વાત હું એ અનુભવના આધાર પર કહી રહ્યો છું, જે જેલના અધિક્ષકોએ મારી સાથે શેર કરી હતી

ભાગવતે આ વાત ગૌ-વિજ્ઞાન સંશોધન સંસ્થાન દ્વારા આયોજિત પુરસ્કાર સમારંભમાં કરી હતી આ સંસ્થાન પૂર્ણ રૂપથી ગૌ-વિજ્ઞાનને સમર્પિત કરી છે તેમણે કહ્યું કે જેલમાં ગાયો માટે આશ્રય સ્થળ બનાવવામાં આવ્યા અને કેદીઓએ તેમનું પાવન-પોષણ શરૂ કર્યું બાદમાં અધિકારીઓએ નિરક્ષણ કર્યું કે કેદીઓમાં આપરાધિક માનસિકતા ઓછી થવા લાગી

Recommended