પીએમ મોદીની જાહેરાત, 10 વર્ષમાં 50 લાખ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવીશું

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડાના ઈન્ડિયા માર્ટ એન્ડ એક્સપોમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્રના કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી(COP)ના 14માં અધિવેશનને સંબોધન કરતાંજળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને વધતા રણ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે

પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાને પણ ઝડપથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવો જોઈએ ભારતે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘણી સફળતા મળી છે, આજે ભારતમાં શૌચાલયોની સંખ્યા 38થી 99 ટકા સુધી પહોંચી છે પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારત આવનારા સમયમાં ઉજ્જડજમીનને ફળદ્રુપ બનાવવા તરફ પગલું ભરી રહ્યું છે ભારત 10 વર્ષમાં 50 લાખ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવશે

Recommended