સોમનાથ મહાદેવને ભસ્મનો શણગાર, હજારો ભાવિક ભક્તોએ કર્યા દર્શન

  • 5 years ago
સોમનાથઃપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને આજે પારણાંના દિવસે ભસ્મનો શણગાર કરવામાં આવ્યો છે દેવાધિદેવ ભસ્મના શણગારમાં તદ્દન અલૌકિક અને દિવ્ય ભાસી રહ્યાં છે ભગવાનને સાંજની આરતીના સમયે આ શણગાર કરવામાં આવ્યો હતો હજારો ભાવિક ભક્તોએ મહાદેવના આ સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ સાથે જ સમગ્ર શિવાય બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું હતું

Recommended