જોશીમઠમાં હાલત નાજુક, ધસી રહેલા શહેરમાં 849 ઇમારતો ભયગ્રસ્ત

  • last year
જોશીમઠમાં આવેલી આફત અટકવાનું નામ નથી લઇ રહી. એક બાજુ જમીન સતત ધસી રહી છે તો બીજી બાજુ મકાનોમાં તિરાડો સતત પડી રહી છે. જોશીમઠમાં સ્થિતિ યથાવત્ છે. મકાનો અને ઇમારતોમાં તિરાડો પડવાની પ્રક્રિયા ચાલુ રહે છે. સરકારી માહિતી અનુસાર, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શહેરમાં ભૂસ્ખલનને કારણે 280થી વધુ ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. મંગળવારે અસરગ્રસ્ત ઈમારતોની કુલ સંખ્યા વધીને 849 થઈ ગઈ છે.

Recommended