શું ટીમ ઇન્ડિયાને પંતની કમી મહેસૂસ થશે? પંડ્યાએ આપ્યો જવાબ
  • last year
ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી T20 સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ T20 શ્રેણી 3 જાન્યુઆરી, આજથી શરૂ થશે. પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં ઋષભ પંતની કમીને લઇ ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આના પર તેમણે પહેલા પંતના જલ્દી સાજા થવાની કામના કરી. ત્યારબાદ તેમણે તેની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા પર જોવા મળશે તેની અસરો વિશે વાત કરી.

ઋષભ વિશે વાત કરતાં હાર્દિકે કહ્યું, “જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. આના પર કોઈનું નિયંત્રણ નહોતું અને એક ટીમ તરીકે અમે તેના ઝડપથી સાજા થવાની ઈચ્છા કરીએ છીએ. અમારી પ્રાર્થના તેની સાથે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી સાજો થઈ જાય."
Recommended