દારૂ પીવાથી થયેલા મૃત્યુમાં કોઇ વળતર નહી મળે : નીતીશ કુમાર
  • last year
બિહારમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. પ્રતિબંધ હોવા છતાં દારૂના વેચાણને લઇને ભાજપ સતત નીતીશ કુમાર પર પ્રહારો કરી રહી છે.વિધાનસભામાં આ મામલો ખુબ ગુંજ્યો છે. આ દરમિયાન સીએમ નીતીશ કુમારે કહ્યું કે દારૂના કારણે કોઈના મૃત્યુ માટે વળતર આપવામાં આવશે નહીં.
નીતિશ કુમારે ફરી એકવાર કહ્યું કે જો તમે દારૂ પીશો તો તમે મરી જશો. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપિતા બાપુએ બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છીએ. અન્ય રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે. ભાજપે દારૂબંધીને સમર્થન આપ્યું હતું.
Recommended