અમદાવાદ મેટ્રોમાં પાન પિચકારી મારી તો રૂ.5000 સુધીનો દંડ

  • 2 years ago
અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનના પ્લેટફોર્મ પર જતી વેળાએ કે ટ્રેનમાં બેસતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. એટલે કે હવેથી અમદાવાદમાં મેટ્રોને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે. શહેરમાં મેટ્રો કોચને નુકસાન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. જેમાં જે પાનની પિચકારી મારશે તેને રૂપિયા 5,000 સુધીનો દંડ અને જેલની સજા ફટકારાશે. જે કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ થશે. કારણ વિના જો કોઇ બેલ કે એલાર્મ વગાડશે તો તેમને 1 વર્ષની જેલની સજા થશે.

મેટ્રો કોચમાં લખવા પર અથવા કંઈ પણ દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ ફટકારાશે. જોકે સાથે મુસાફરી દરમ્યાન જો પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 6 હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા છે. આગામી સમયમાં નવી 10 જેટલી હોસ્પિટલો સાથે પણ MOU કરાશે.

Recommended