વડાપ્રઘાનના પ્રવાસ બાદ સૌરાષ્ટ્રના રાજકીય ચિત્રમાં બદલાવ

  • 2 years ago
વડાપ્રધાનના પ્રવાસ બાદ સૌરાષ્ટ્રના રાજકીય ચિત્રમાં બદલાવ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાને આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો પર વધારે ભાર મુક્યો છે. આ અંગે વડાપ્રધાને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંચ ચર્ચા પણ કરી હતી. રાજકોટની તમામ બેઠકો જીતવી ભાજપનું લક્ષ્ય છે. આ માટે ભાજપે જિલ્લા ભાજપના આગેવાનોને નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત લોકો સુધી સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવા અને ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી બેઠકો પર આક્રમક બનવા નિર્દેશ કર્યો છે. કોડીનાર, ગીર સોમનાથ અને જૂનાગઢ બેઠક માટે દિગ્ગજોને જવાબદારી સોંપાઈ છે.

Recommended