બાંગ્લાદેશી ઘૂસણખોરીથી હિન્દુ વસતી અસંતુલિત: RSS નેતાએ વસતી નીતિની કરી માંગ

  • 2 years ago
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ફરી એકવાર કહ્યું છે કે દેશમાં વસતીનું અસંતુલન ચિંતાજનક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ જણાવ્યું હતું કે વસતી નીતિને સર્વગ્રાહી રીતે ધ્યાનમાં લેવી જોઈએ અને વસતી નીતિ બનાવવી જોઈએ જે બધાને લાગુ પડે. અગાઉ, વિજયાદશમી પર સંઘના વડા મોહન ભાગવતે વસતીના અસંતુલન પર ચિંતા વ્યક્ત કરી હતી અને તમામને લાગુ પડે તેવી નીતિની હિમાયત કરી હતી.

ધર્માંતરણને કારણે હિન્દુઓની વસતી ઘટી રહી છે
પ્રયાગરાજમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચાર દિવસીય અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠકના છેલ્લા દિવસે દત્તાત્રેય હોસાબલેએ પત્રકારોને જણાવ્યું હતું કે ધર્માંતરણને કારણે દેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. તેમણે કહ્યું કે દેશના ઘણા ભાગોમાં ધર્મ પરિવર્તનનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કેટલાક સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી પણ થઈ રહી છે. સરકાર્યવાહે કહ્યું કે વસતીના અસંતુલનના કારણે ઘણા દેશોમાં વિભાજનની સ્થિતિ સર્જાઈ છે. ભારતનું વિભાજન પણ વસતીના અસંતુલનના કારણે થયું છે.

Recommended