કેજરીવાલ એન્ડ કંપનીના ગુજરાતની જનતા ગાભા છોતરા કાઢી નાંખશે: વિજય રૂપાણી

  • 2 years ago
દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓ વિરૂદ્ધ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. મંત્રીએ દિલ્હીમાં નિવેદન આપ્યું અને ગુજરાતમાં પોસ્ટર્સ વિરોધ શરૂ થયો છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટી અને કેજરીવાલને બરાબર આડે હાથ લીધા છે. કેજરીવાલ સરકારના મંત્રીના નિવેદન બાદ આપ સરકારની ચારેતરફ ફજેતી થઈ રહી છે.

રૂપાણીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી હવે ખુલ્લી પડી ગઇ છે. કેજરીવાલ એન્ડ કંપનીના ગુજરાતની જનતા ગાભા છોતરા કાઢી નાંખશે. ભાજપ બે તૃત્યાંશ બહુમતીથી ચૂંટણીમાં જીતીને આવશે. રાજ્યની જનતા જાણે છે કે હિન્દૂ હિત કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગા સૂત્ર અહીં થી જ આવ્યું અને એટલે જ આજે દેશભરમાં ભાજપ છવાયેલી છે.

Recommended