3 વર્ષના દીકરા કેવલે પિતાની છત્રછાયા ગુમાવી
- 2 years ago
બરવાળા કેમિકલ કાંડના અનેક પરિવારના લોકોએ પોતાના સ્વજન ગુમાવવા પડ્યા છે. ત્યારે રોજિંદ ગામના દિનેશભાઈ વીરગામા કે જેમનું મૃત્યુ થયું છે. તેમના પત્ની સાથે છુટાછેડા થઈ
ગયા છે. અને 3 વર્ષના દીકરા કેવલે પિતાની છત્રછાયા ગુમાવી છે અને હવે વિધવા દાદીના એકમાત્ર સહારે જીવન જીવવું પડશે.
3 વર્ષના દીકરા કેવલે પિતાની છત્રછાયા ગુમાવી
કારણ કે ઘરમાં હવે કમાનાર પુરુષ કોઈ ન હોવાના કારણે પરિવાર ચિંતામાં છે. સરકાર કોઈ સહાય કરે તો જ આ પરિવાર ટકી શકે છે. તેમજ આ કાંડમાં સંડોવાયેલા તમામ લોકો વિરુદ્ધ
કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, અને દારૂ વેચાણ થાય છે એટલે આ કરુણાંતિકા સર્જાઈ છે. કેવલના નસીબમાં માતાપિતા બંનેનો પ્રેમ ન હતો. અગાઉ કેવલની માતા તેને છોડીને જતી
રહી. હવે કેમિકલ કાંડને કારણે પિતા પણ ગુમાવ્યા છે. ત્યારે કેવલની જવાબદારી તેની દાદી ઉપર આવી પડી છે. ઘરમાં કોઈ કમાનાર ન હોવાને કારણે કેવલના ભવિષ્ય સામે પ્રશ્નો ઉભો
થયો છે. તો આ ઉંમરે દાદી કેવી રીતે કેવલનો ઉછેર કરશે તે ચિંતા તેમને સતાવી રહી છે.
વિધવા દાદીના એકમાત્ર સહારે જીવન જીવવું પડશે
ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો
કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
હતા. જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.
ગયા છે. અને 3 વર્ષના દીકરા કેવલે પિતાની છત્રછાયા ગુમાવી છે અને હવે વિધવા દાદીના એકમાત્ર સહારે જીવન જીવવું પડશે.
3 વર્ષના દીકરા કેવલે પિતાની છત્રછાયા ગુમાવી
કારણ કે ઘરમાં હવે કમાનાર પુરુષ કોઈ ન હોવાના કારણે પરિવાર ચિંતામાં છે. સરકાર કોઈ સહાય કરે તો જ આ પરિવાર ટકી શકે છે. તેમજ આ કાંડમાં સંડોવાયેલા તમામ લોકો વિરુદ્ધ
કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, અને દારૂ વેચાણ થાય છે એટલે આ કરુણાંતિકા સર્જાઈ છે. કેવલના નસીબમાં માતાપિતા બંનેનો પ્રેમ ન હતો. અગાઉ કેવલની માતા તેને છોડીને જતી
રહી. હવે કેમિકલ કાંડને કારણે પિતા પણ ગુમાવ્યા છે. ત્યારે કેવલની જવાબદારી તેની દાદી ઉપર આવી પડી છે. ઘરમાં કોઈ કમાનાર ન હોવાને કારણે કેવલના ભવિષ્ય સામે પ્રશ્નો ઉભો
થયો છે. તો આ ઉંમરે દાદી કેવી રીતે કેવલનો ઉછેર કરશે તે ચિંતા તેમને સતાવી રહી છે.
વિધવા દાદીના એકમાત્ર સહારે જીવન જીવવું પડશે
ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો
કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
હતા. જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.