રાજ્યસભામાં ખાતરના ભાવ મુદ્દે હોબાળો, માંડવિયા અને શક્તિસિંહ સામસામે

  • 2 years ago
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખાતરના ભાવ મુદ્દે સરકાર પર રીતસરની પસ્તાળ પાડી હતી. શક્તિસિંહે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે, શું યુરિયાના ભાવ વધશે? શું ખેડૂતોને મળતી ખાતર પર સબસિડી ચાલુ રહેશે? જેના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં 300 લાખ મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત છે. હાલ ખાતરના ભાવ નહીં વધે અને સબસિડીનો બોજ સરકાર વહન કરશે.

Recommended