જો ગુજરાતમાં અન્ય રાજ્યોના માછીમારો માછીમારી કરવા આવશે તો કાયદેસરના પગલાં ભરાશેઃ મુખ્યમંત્રી

  • 4 years ago
અમદાવાદઃમુખ્યમંત્રીએ આજે સાગરખેડૂઓ સાથે ‘મોકળા મને’ કાર્યક્રમ કર્યો હતો આ દરમિયાન તેમણે માછીમારોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે પણ ખાતરી આપી હતી આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી માછીમારી કરવા આવતી બોટો મામલે નિવેદન આપ્યું કે, બોટો સાથે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા લોકોને રોકવા જોઈએ બીજા રાજ્યોના માછીમારો અનઅધિકૃત રીતે માછીમારી કરવા આવશે તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમજ જરૂર પડશે તો એક્ટ અને ઓર્ડિનન્સ લાવીને આગળ વધીશું આ અંગે કાયદો પણ પસાર કરીશું

Recommended