જમ્મુ કાશ્મીરમાંથી 370, 35-A હટાવાતા સુરતમાં સમર્થનમાં પદયાત્રા યોજાઈ

  • 5 years ago
સુરતઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A હટાવી દેવામાં આવી છે જેના સમર્થનમાં શહેરના સમર્થન ગ્રુપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કારગીલ ચોકથી Y જંકશન અને પરત કારગીલ ચોક સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં તબીબો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટ્સ અને વેપારીઓ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા NGOની ટીમો પણ આ પદયાત્રામાં જોડાઈ હતી5 હજાર લોકો દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અંદાજિત 10 હજાર લોકો આ પદયાત્રામાં જોડાયા હોવાનું અનુમાન છે 10 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીર ટુરિસ્ટ માટે ખુલ્લું મુકવામાં આવવાનું છે પ્રવાસીઓના સમર્થનમાં સમર્થન ગ્રુપ આવ્યું છે કાશમીરી લોકોને રોજગારી ની તક મળશે તેવો આશાવાદ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે

Recommended