નિરાધાર પરિવારનાં 5 સભ્યો માનસિક વિકલાંગ, સરકારે પાસે મદદની આશા
  • 5 years ago
કેશોદ:વેરાવળ રોડ પર આવેલા ઉમિયાનગર-1માં છેલ્લા 20 વર્ષથી 5 સભ્યોનો ગરીબ પરીવાર માનસિક વિકલાંગ અવસ્થામાં જીવી રહ્યો છે અને ઘરમાં કોઇ કમાવવાવાળું નથી તેથી છેલ્લા 27 વર્ષથી કેશોદમાં રહેતા અને નવયુગ હાઇસ્કુલના શિક્ષક આર પી સોલંકી અને કેશોદ કુમારશાળામાં પ્રાઇમરી શિક્ષિકા તરીકે નોકરી કરતા તેમના ધર્મપત્ની ઉષાબેન આર્થીક મદદ કરી રહ્યા છે ઉપરાંત તેમની આસપાસ રહેતા સોસાયટીવાસીઓ પણ દંપતિના સેવાકાર્યમાં આર્થિક મદદરૂપ બની રહ્યાં છે જયારે આ પરીવાર માટે જમવાનું બપોરના સમયે અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને સાંજના સમયે સદભાવના ટ્રસ્ટમાંથી ટિફીન આવી જાય છે