જયશંકર યુએનમાં બોલ્યા- દુનિયા પાકિસ્તાનને આતંકવાદના એપીસેન્ટર તરીકે જુએ છે

  • last year
વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના 'કેન્દ્ર' તરીકે જુએ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના બે વર્ષનો સમયગાળો હોવા છતાં વૈશ્વિક સમુદાય એ ભૂલી શક્યું નથી કે આતંકવાદની આ દુષ્ટતાનું મૂળ ક્યાં છે.

'UNSC બ્રીફિંગઃ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચઃ ચેલેન્જ એન્ડ વે ફોરવર્ડ'ની અધ્યક્ષતા કર્યા પછી જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું, "તેઓ ગમે તે કહેતા હોય, હકીકત એ છે કે દરેક લોકો, સમગ્ર વિશ્વ આજે તેમને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે."

Recommended