પાયલટના ટીમ ગેહલોત પર પ્રહાર: કોંગ્રેસ અધ્યક્ષ 'બળવાખોર' ધારાસભ્યોને સજા આપે

  • 2 years ago
રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો અંત આવતો જણાતો નથી. સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર ધારાસભ્યો પર પ્રહારો કર્યા અને તેમને સજા આપવાની માંગ કરી. સચિન પાયલટે કહ્યું કે કોંગ્રેસના નવા અધ્યક્ષે રાજસ્થાનના 'બળવાખોર' ધારાસભ્યોને સજા આપવી જોઈએ. આજે એક મીડિયા ઇન્ટરવ્યુમાં સચિન પાયલોટે કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમક્ષ તેમની માંગણી કરી અને કહ્યું કે જે ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે તેમને તેમનો જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવે.

"કોંગ્રેસ એક જૂની પાર્ટી છે, જેમાં બધા માટે સમાન નિયમો છે, પછી ભલે તે ગમે તેટલા વરિષ્ઠ હોય. મને ખાતરી છે કે નવા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પગલાં લેશે. રાજ્યમાં 13 મહિનામાં ચૂંટણી થશે તેની નોંધ લેતા તેમણે કહ્યું કે પાર્ટીના નિરીક્ષક કેસી વેણુગોપાલે કહ્યું હતું કે "રાજસ્થાનની સ્થિતિ" અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

Recommended