જાણો, ગરબે રમતા-રમતા કેમ આવે છે મોત?

  • 2 years ago
આણંદના તારાપુરની ઘટના હોય કે ઓડિશાના લોકપ્રિય ગાયક મુરલી મહાપાત્રા હોય. નવરાત્રીના મહોત્સવ દરમ્યાન ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં કાં ગરબે રમતા અથવા તો સ્ટેજ પર પર્ફોમ કરતાં અચાનક જ મોતને ભેટયા હોય તેની ઘટના સામે આવી છે. આણંદના તારાપુરમાં એક યુવકનું ગરબે રમતા-રમતા હાર્ટએટેક આવતા મોત થયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકો તેની ખૂબ ચર્ચા કરી રહ્યા હતા. આ સિવાય મુંબઇમાં પણ નવરાત્રીમાં ગરબે રમતા-રમતા ત્રણ યુવાનોના અલગ-અલગ વિસ્તારમાં મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. ગરબે ઘૂમતા યુવાનોના અચાનક ઢળી પડવાથી મોત થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એવું તે શું થાય છે કે ગરબે રમતા યુવાનોનો મોત થઇ રહ્યા છે? શું કારણો હોઇ શકે કે ગરબા રમતા યુવાનોનો મોત થાય છે.

ગરબા રમતા અચાનક હાર્ટ એટેકના કારણો આ રહ્યા
સંદેશ ન્યૂઝ સાથે વાત કરતાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ.રસેષ પોથીવાલાએ કહ્યું હતું કે નવરાત્રી અને દશેરાનો તહેવાર હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉત્સાહ ઉમંગનો છે. પરંતુ આ વખતે મારે ત્યાં પણ 18 થી 25 વર્ષના આઠ પેશન્ટ આવ્યા હતા પરંતુ અમે દરેક લોકોને બચાવી લીધા છે. તેમાંથી અમુક લોકોમાં દરેક બાબત સામાન્ય જોવા મળી. એક તો બેઠાડું જીવન, નવરાત્રી પહેલાં કોઇપણ પ્રકારનો શ્રમ કર્યો નહોતો, સ્થૂળતા, બહારનું ખાવાનું વગેરે કારણો જવાબદાર છે.

Recommended