અમદાવાદમાં ઘરઘાટીએ જ વૃદ્ધાને સળગાવી હત્યા કરી નાંખી

  • 2 years ago
અમદાવાદ શહેરમાં એકલા રહેતા સિનિયર સિટિઝનની સુરક્ષા સામે સવાલ ઉભો કરતો બનાવ સામે આવ્યો છે. મેઘાણીનગરમાં વૃદ્ધાની હત્યાનો ચકચાર બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં લીલાબા જાડેજા નામના વૃદ્ધ મહિલાને ઘરઘાટીએ જ મોતને ઘાટ ઉતારી દીધા. લીલાબાની સારસંભાળ રાખતા મહિલાએ જ તેમને સળગાવી દીધા. ઘરના સ્ટોર રૂમમાં લીલાબાને પાડી દઇને જ્વલનશીલ પદાર્થ નાંખી સળગાવી દીધા.