સુરતના પલસાણામાં ખાડીનું પાણી ઘરોમાં ફરી વળતા 30 લોકોનું રેસ્ક્યુ કરાયું

  • 2 years ago
હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે રાજયની તમામ નદીઓમાં નવા નીરની આવક થતા નદીના વહેણમાં વધારો થયો છે. નદીઓની સાથે સાથે શહેરમાં સુએઝ વોટરનું વાહન કરતી ખાડીઓમાં પણ ભારે વરસાદને પગલે પાણીમાં વધારો થયો છે. જેને લઈને ખાડીઓ ઓવરફલો થવાની સ્થિતિ સર્જાવા પામી રહી છે. સુરત જીલ્લાના પલસાણાની એક ખાડી ઓવરફલો થતાં 30 જેટલા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી.

Recommended