સાઈક્લોન સિસ્ટમની અસર, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 3 નંબરના સિગ્નલ લગાવાયા

  • 2 years ago
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે, ત્યારે તકેદારીના ભાગરુપે ઓખા અને પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિવાય ગીર-સોમનાથના દરિયામાં સાઈક્લોન સિસ્ટમની અસર જોવા મળી રહી છે. જેના કારણે નવા બંદર, સૈયદ રાજપરા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

Recommended