વિરમગામના સુરજગઢ- થુલેટાની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં ઊભા પાક ધોવાયાં
- 4 years ago
વિરમગામ: વિરમગામ તાલુકાના છેવાડે આવેલા સુરજગઢ- થુલેટા સહિતના ગામોની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં સીમમાં રહેલા ઊભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો વારંવાર કેનાલો તૂટી જવાના કારણે પાણી ખેતરોમાં પાણી ઊભા પાકમાં ફરી વળે છે ઘઉં, જીરું સહિત રવી પાકોને ભારે નુકસાન થાય છે સુરજગઢ- થુલેટા વિસ્તારના પાકો નિષ્ફળ જવાના ખેડૂતો પાયમાલ થઇ જશે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે ત્યારે ખેડૂતો હાલ ચિંતિત છે