શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું- સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર

  • 4 years ago
સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે સરકારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને આ સત્રમાં સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી છે સાથે જ વિપક્ષ અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતી, રોજગાર,યુવા અને ખેડૂતોના મુદ્દે, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવા અને ફારુક અબ્દુલ્લા સહિત અન્ય કાશ્મીરી નેતાઓની ધરપકડના મુદ્દા અંગે સરકારને ઘેરવાના પ્રયાસ કરશે આ સત્રમાં લોકસભાની 20 બેઠકોનો પ્રસ્તાવ છે આ સાથે જ સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા , કોમન સિવિલ કોડ, નાગરિકતા સંશોધન અને ઈ સિગારેટ બિલને પણ રજુ કરી શકે છે

Recommended